Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જામનગર જીલ્લાના જામજોધપુર શહેરમાં ૪ જગ્યાએ રેડ કરી પાંચ શખ્સોને ઈંગ્લીશ દારૂ તથા દેશી દારૂના મુદ્દામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ

જામગનર, જામજોધપુર તા. ૨૨ : જામનગરના પોલિસ અધિક્ષક  શ્રી શરદ સિંઘલના ઓ તથા એલ.સી.બી પો. ઈન્સ.શ્રી આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામજોધપુર ટાઉન વિસ્તારમાં પ્રોહી જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના વનરાજભાઇ મકવાણા તથા નિર્મળસિંહ બી. જાડેજા મળેલ બાતમીના આધારે આરોપી કીશોર ભારાભાઇ જોગાણી રે. બાલવા જકાતનાકા પાસે. જામજોધપુરવાળાની કબ્જામાંથી રેઇડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૬ કિં. રૂ. ૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ પો.કોન્સ. અશોકભાઇ સોલંકીએ ફીરયાદ આપતા પો. હેડ કોન્સ. ફીરોજભાઇ દલ એ મજકુર ઈસમો વિરુધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ એલ.સી.બી. સ્ટાફના મિતેશભાઇ પટેલ તથા અશોકભાઇ સોલંકીને મળેલ બાતમી આધારે  આરોપી કીશન મહેન્દ્રભાઇ કડીવાર રે. મનહર બિલ્ડીંગની બાજુમા, જામજોધપુરવાળાની કબ્જામાંથી રેઈડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૯ કિ.રૂ. ૩૬૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપી વિરુધ્ધ  પો. હેડ કોન્સ. ખીમાભાઇ ભોચીયાએ  ફરીયાદ આપતા પો.હેઙકોન્સ. વનરાજભાઇ મકવાણાએ મજકુર ઈસમો વિરુધ્ધ પ્રોહિબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

તેમજ એલ.સી.બી. સ્ટાફના ફિરોજભાઇ દલ તથા અશોકભાઇ સોલંકી ને મળેલ બાતમીને આધારે આરોપી પ્રવિણ માણસુર મુન રે. જામજોધપુરવાળાને કબ્જામાંથી રેઇડ દરમ્યાન દેશી દારૂ લી - ૭૦ કિ. રૂ. ૧૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ્ધ  પો.હેઙકોન્સ. વનરાજભાઇ મકવાણા ફરિયાદ આપતા  પો.હેઙ કોન્સ. ફીરોજભાઇ દલ એ જકુર ઈસમો વિરુધ્ધ પ્રોહિબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઈન્સ. શ્રી આર.એ. ડોડીયાની સુચના થી પો.સ.ઈ.શ્રી આર.બી.ગોજીયા , શ્રી કે.કે ગોહિલ તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા , બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા,  ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા , લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ  સરવૈયા , હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર , નિર્મળસિંહ  બી જાડેજા , અશોકભાઇ સોલંકી , હીરેનભાઇ વરણવા, મીતેશભાઇ પટેલ, વનરાજભાઇ મકવાણા, નિર્મળસિંહ જાડેજા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા , એ.બી. જાડેજા તથા અરવીંદગીરી તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:12 pm IST)