Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ભાવનગરમાં નાળાના પાણીમાં તણાઇ જવાથી વૃધ્ધનું મોત

ભાવનગર, તા., ૨૨: હાદાનગર વિસ્તારમાં આવેલ મોમાઇ માતાજીના મંદિર પાછળના ભાગે આવેલ નાળામાં વૃધ્ધ વ્યકિતનો મૃતદેહ તણાઇને આવતો હોવાની મનસુખભાઇ ગોહેલ નામના વ્યકિતએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢયો હતો.

મૃત્યુ પામનાર વ્યકિત હાદાનગરમાં રહેતા બીજલભાઇ પ્રાગજીભાઇ પરમાર હોવાનું ખુલ્યું છે. વહેલી સવારે તેઓ કામેથી ઘરે પરત જઇ રહયા હતા ત્યારે નાળામાં તણાઇ ગયા હતા.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડ વિભાગના ઘનશ્યામસિંહ વાળાએ માહીતી આપી હતી.

આ બનાવની જાણ થતા ડી ડીવીઝન પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને હોસ્પીટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

(12:00 pm IST)