Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મોરબીમાં ડો.પ્રવિણ તોગડીયાની ઉપસ્થિતીમાં બેઠકઃ સંગઠનને મજબુત બનાવવા-સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે ચર્ચા-વિચારણા

મોરબી, તા.૨૨: મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજવામા આવી હતી. જેમા અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા સહીતના પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષાના પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ બેઠકમા સંગઠનને મજબુત બનાવવા તેમજ સનાતન હિન્દુ ધર્મની રક્ષા તેમજ હિન્દુ સંસ્કૃતીના જતન સહીતની બાબતોની ચર્ચા કરવામા આવી હતી. તે ઉપરાંત ડો. પ્રવિણભાઈ તોગડીયા ૩ તલાકનો કાયદો, રામ મંદિર નિર્માણ, કાશ્મીરી હિન્દુઓનુ પૂનર્વસન, ગૌરક્ષા સહીત ના મુદે મોદી સરકારની આકરી ટીકા કરી હતી. આ બેઠકમા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ જી.જે ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી જીતુભાઈ મહેતા, ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ પ્રખંડોના પદાધિકારીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત બેઠકમા મોરબી શહેર તેમજ જીલ્લા ઉપરાંત વિવિધ પ્રખંડોના પદાધિકારીઓની નિમણુંક વિશે ચર્ચા કરવામા આવી હતી.

(1:32 pm IST)