Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પોરબંદર હરિમંદિરે આંબા મનોરથ

જુનાગઢ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલ શ્રીહરિ મંદિરમાં આજે નિર્જળા એકાદશીના પાવન દિવસે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનને ૫૧ મણ કેરીનો ભોગ લગાવાયો અને આંબા મનોરથનો ઉત્સવ થયો. જેમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની ઉત્સવ આરતી સંપન્ન થઈ હતી.  દર્શનાર્થીઓ માટે શ્રીહરિ મંદિર ખોલવામાં આવ્યું હોય ઘણા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.આંબા મનોરથની આરતીની તસ્વીર. (તસ્વીર : અહેવાલઃ વિનુ જોષી, જુનાગઢ)

(1:21 pm IST)