Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

જામનગર યૌન શોષણ કેસમાં ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મહિલાઓના ધરણા

જામનગર,તા. ૨૨: જામનગરમાં આવેલી જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે શહેરના લાલબંગલા સર્કલ ખાતે મહિલા ન્યાય મંચ દ્વારા ધરણા શરૂ કરાયા છે. સપ્તાહ બાદ પણ પોલીસખ્ ફરિયાદ નહિ લેવાતા આક્રોશ સાથે લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજી મહિલા ન્યાય મંચ દ્વારા જુદા-જુદા બેનરો સાથે મહિલાઓ ધરણા પર બેઠા છે. અને જયાં સુધી ફરિયાદ નહિ નોંધાઈ ત્યાં સુધી મહિલાઓના ધરણા શરૂ રાખવાની ચીમકી આપવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા,જામનગર)

(1:10 pm IST)