Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ધાંગધ્રાના નિમકનગરના આઘેડની રણમાંથી લાશ મળી

વઢવાણ, તા.૨૨: પોતાની બાધા પુરી કરવા ગયેલ આઘેડની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે. જિલ્લામાં એક જ દિવસમાં બે લાસ મળી આવી છે અને સુરેન્દ્રનગર જીલ્લામાં લાસ મળવાનો સીલસીલો જારી રહ્યો છે. નિમકનગર ગામના વતની છેલ્લા પાંચ દિવસથી ગુમ હતા. જેની સાંતલપુરના રણમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી છે. દેવજીભાઇ દાનાભાઇ ઠાકોર નામના વ્યકિતની લાસને ફોરેન્સિક PM માટે રાજકોટ ખસેડવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)