Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગાંધીધામમાં કૌભાંડ બાદ ગોડાઉન બંધઃ મગફળી કૌભાંડમાં ખરીદદાર મંડળી જવાબદારઃ સંઘાણી

અમરેલી, તા. ૨૨ :. કચ્છના ગાંધીધામમાં મગફળી ગોડાઉનમાં રખાયેલા મગફળીના જથ્થામાં ધૂળ અને ઢેફા નીકળ્યા બાદ અધિકારીની હાજરીમાં ગોડાઉન બંધ કરી દેવાયુ છે અને તપાસ દરમિયાન ગોડાઉન ખોલાશે.

આ અંગે નાફેડના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ હતુ કે મગફળી કૌભાંડમાં ખરીદદાર મંડળી જવાબદાર છે.

શ્રી સંઘાણીએ વધુમાં જણાવ્યુ કે કોંગ્રેસ લોકોને ઉશ્કેરે છે અને પોતાની બુદ્ધિ ક્ષમતાનું પ્રદર્શન કરે છે. અગાઉના આગના કૌભાંડની પણ તપાસ કરાઈ હતી અને ખેડૂતોને અગાઉ રૂપિયા પણ ચુકવાઈ ગયા છે.

(1:17 pm IST)