Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પોરબંદરઃ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના બનાવોમાં તટસ્થ તપાસ કરવા માંગણી

પોરબંદર, તા. રર : વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના બનાવોમાં તટસ્થ તપાસની માંગણી સાથે સામાજિક કાર્યકર  દિલીપભાઇ મશરૂએ  જિલ્લા પોલીસ અધિક્ષકને જાહેર હિતની અરજી કરી છે.

શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરોની બૃહદ ત્રાસ અને લોકોને મરવા માટે મજબુર કરતા લોહાણા આઘેડના મોત બાદ આવા બનાવો વારંવાર બને છે અને આ બનાવની આપના સુપરવિઝન હેઠળ તટસ્થ તપાસ કરવા અને તેમના પરિવારજનોને ન્યાય મળે તે રીતે તપાસ કરવા તેમજ શહેર જીલ્લામાં ધીર-ધારનો વ્યાજનો ધંધો કરવા લોકો પાસે લાયસન્સ છે કે કેમ ? તેની તપાસ કરવા અને પોરબંદર શહેર તેમજ જીલ્લાના પોલીસના સબંધીત અધિકારીઓશ્રીની હાજરીમાં લોક દરબાર યોજવા જરૂરી છે તેમ જાહેર હિતની અરજીમાં જણાવેલ છે.

(11:26 am IST)