Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સોૈરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

રાજકોટ તા.૨૨: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં બફારો યથાવત છે અને પવનના સુસવાટા સાથે ધુપ-છાંવવાળુ વાતાવરણ અનુભવાય રહ્યું છે.

દરરોજ સવારના સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ પવન સાથે બફારાનો અહેસાસ થવા લાગે છે અને બપોરના સમયે ગરમીની વધુ અસર અનુભવાય છે.

જોકે મહત્તમ  તાપમાનનો પારો ૪૦ ડિગ્રી આસપાસ રહેતા ગરમીની વધુ અસર અનુભવાતી નથી.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૬ મહત્તમ, ર૮.૪ લઘુત્તમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧પ.૬ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:49 am IST)