Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

પોરબંદરના કોળી વૃધ્ધા મોંઘીબેનનો બિમારીથી કંટાળી સળગીને આપઘાત

રાજકોટ તા. ૨૨: પોરબંદર બીરલા કોલોની ઇન્દિરા નગરમાં નવા રામદેવ મંદિર સામે રહેતાં મોંઘીબેન જાદવભાઇ મોકરીયા (ઉ.૬૦) નામના કોળી વૃધ્ધાએ સળગીને આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મોંઘીબેને ૧૭મીએ શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર બે ભાઇ અને ચાર બહેનમાં મોટા તથા અપરિણીત હતાં અને એકલા રહેતાં હતાં. શ્વાસની બિમારીથી કંટાળીને પગલું ભર્યાનું તેના ભાઇએ જણાવ્યું હતું.

(11:28 am IST)