Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સોમનાથ મહાદેવની ઓનલાઇન પુજા ૧૫૦૦ શિવ ભકતોએ કરીઃ લોકડાઉનમાં ઓનલાઇન પુજા તથા દાનમાં ૧૯ લાખની આવક

વેરાવળ તા. ૨૨ : સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવની પુજા ઓનલાઈન થઈ રહેલ છે. તેમા ૧પ૦૦ જેટલા શિવભકતોએ અત્યાર સુધી પુજા નોંધાવેલ હતી અને લોકડાઉન ના ૬૪ દિવસોમાં ૧૯ લાખ રૂપીયાની આવક થયેલ છે.

સોમનાથ મંદિરમાં તા.૧૯ માર્ચ થી શિવભકતોને મંદિરમાં પ્રવેશ સંપુર્ણ બંધ છે ત્યારથી ર૦ મે સુધી ૯ લાખ પ૧ હજાર ઓન લાઈન દાન મળેલ છે તેમજ તા.પ મેથી ડીજીટલ માઘ્યમથી પુજા થઈ રહેલ છે. તેમાં ૧પ૦૦થી વધારે શિવભકતોએ સેવા પુજા નોંધાવી હતી. તેમાં રૂ.૯ લાખ ૮૧ હજાર ની પુજાવિધીમાં આવક થયેલ છે સોમનાથ ટ્રસ્ટને ઓનલાઈન અત્યાર સુધીમાં આવક ૧૯ લાખ રૂપીયાની થયેલ છે.(

(12:53 pm IST)