Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ગોંડલમાં ઓડ ઇવન તથા જાહેરનામાનો ભંગ કરતા ડઝનથી પણ વધુ લોકો દંડાયા

સેનીટાઈઝના વેપારીની દુકાનમાં જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતુ ન હતું

ગોંડલ,તા.૨૨: સરકાર દ્વારા લોકડાઉનના ચોથા ચરણમાં લોકોને ઘણી રાહત આપવામાં આવી હોય તેનો દ્યણા વેપારી અને લોકો દ્વારા તેનો દુરૂપયોગ કરાતો હોય odd-even અને જાહેરનામાનો ભંગ કરતા ડઝનથી વધારે લોકો વિરુદ્ઘ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવી ચોકમાં આવેલ કિશોરભાઈ તન્નાની જયઅંબે પીપરમેન્ટ સ્ટોર, કડિયા લાઈનમાં આવેલ કિશોરભાઇ પીપળીયાની નચિકેતા પ્રોવિઝન સ્ટોર, તેની પાસે મુનાફ મકસુફભાઈ આમદાનીની મોબાઇલ સોંપ, ગુંદાળા શેરીમાં હાર્દિક વસંતભાઈ જાનીની જીવન જયોત નોવેલ્ટી, ગુંદાળા પેટ્રોલ પંપ પાસે આવેલ કનકેશભાઈ જાની ની રંગોલી પાન, ટાઉનહોલ પાસે ભાવેશ વલ્લભભાઈ સાવલિયાનું શિવપાન, ચોરડી દરવાજા ના ચોકમાં આવેલ દિનેશ શાંતિભાઈ ધરદેવની મનહરલાલ એન્ડ બ્રધર્સ, કૈલાશ બાગ રોડ પર આવેલ મિલન ભરતભાઈ ધરદેવની બાલકૃષ્ણ સેલ્સ એજન્સી તેમજ ઉમિયા એસ્ટેટ માં આવેલ યોગીનભાઈ મહેન્દ્રભાઈ સોજીત્રા ની ગેલેકસી સ્ટોર નામની દુકાનમાં odd even અને જાહેરનામાનો ભંગ થતો હોય પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત કેંગન વોટર નામે સેનેટાઈઝર વેચવાનો વેપાર કરતા જીગ્નેશભાઈ મનસુખભાઇ ભુવા ને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય પોલીસે ગુન્હો નોંધ્યો હતો તેમજ સેન્ટ્રલ બેન્ક પાસે કિરીટભાઈ ધીરુભાઈ પરમાર, જયેશ જેન્તીભાઈ ગજેરા અને તુષાર નાનજીભાઇ ચાવડા ટોળું વળીને બેઠા હોયઙ્ગ પોલીસે તેઓની વિરુદ્ઘ પણ કાર્યવાહી હાથ ધરી હતી

કાલે સવારે ગોંડલ માર્કેટ યાર્ડના વેપારીઓની મીટીંગઃ સુધારા નિયમો ચર્ચાશે

ગોંડલ,તા.૨૨: ગુજરાત રાજય સરકાર દ્વારા તા. ૬/૫/૨૦૨૦નાં રોજ વટ હુકમ જારી કરી ગુજરાત ખેત ઉત્પન્ન બજાર ધારોમાં તાત્કાલીક અસરથી સુધારાઓ લાગુ કરેલ છે. કાયદામાં આ સુધારાની માર્કેટ યાર્ડો પર તેમજ ખેડૂત ભાઈઓને થનાર દુરોગામી અસરો અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરી સરકાર સમક્ષ જરૂરી રજુઆત તથા સુચનો કરવા માટે સૌરાષ્ટ્રભરનાં તમામ માર્કેટ યાર્ડોનાં ચેરમેનોની એક મીટીંગ તા. ૨૩/૫/૨૦૨૦ ને શનિવારનાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે ગોંડલ માર્કેટ યાર્ડમાં કિશાન ભવનનાં હોલમાં રાખવામાં આવેલ છે.

આ મીટીંગમાં હાજરી આપવા સૌરાષ્ટ્રની તમામ બજાર સમિતિના ચેરમેનો ને ગોંડલ બજાર સમિતિના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

(11:37 am IST)