Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઉના દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરૂકુલ દ્રોણેશ્વર કુમાર કન્યા વિદ્યાલયનું એસ.એસ.સી પરીક્ષાનું ૯૪ ટકા પરિણામ

ઉના, તા.૨૨: એસજીવીપી ની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કન્યા કુમાર વિદ્યાલય દ્રોણેશ્વરનું માર્ચ ૨૦૧૯ માં લેવાયેલી એસ.એસ.સી. ની પરિક્ષામાં ૧૪૫ વિદ્યાર્થીઓ ૯૪ટકા પરિણામ સાથે ઉત્તિર્ણ થયા છે.

સંસ્થાના અધ્યક્ષ પુ. માધવપ્રિયદાસજીસ્વામીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સંચાલકોની મહેનતનું આ જવલંત પરિણામ છે. ઉત્ત્।મ પરિણામ બાદ સંતો તથા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ જોષીએ વિદ્યાર્થીઓના મોં મિઠા કરાવી પ્રોત્સાહન આપ્યું હતું. આ તકે સિદ્ઘિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે શ્રીહરિની કૃપા, સંતો, માતા-પિતાના આશીર્વાદ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અથાગ પરિશ્રમથી આ પરિણામ અમે પ્રાપ્ત કરી શકયા છીએ. સંસ્થાનો આભાર માન્યો હતો. શાળામાં પ્રથમ રાહુલ ખુંટ ૯૯.૩ પી.આર. સાથે પ્રથમ તથા જેઠવા જાનવી ૯૭.૬૨ પી.આર. સાથે દ્વિતીય ક્રમે રહ્યા છે.

(11:38 am IST)