Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

હળવદ પાસે અકસ્માતમાં ટ્રાવેલ્સનાં ડ્રાઇવરનું મોત થતા ૨ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ, તા.૨૨: શહેરના બાય રસ્તા એવા સરાચોકડી વૈજનાથ મહાદેવ મંદિર સામે ભુજ તરફથી આવતી સહજાનંદ ટ્રાવેલ્સ ની લકઝરી બસ નં Gj1 ay ૭૧૫૫ વાળી ટેલર સાથે ભટકાતા બસના ચાલકનુ ઘટનાસ્થળે મોત થયુ હતુ,હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ થી અમદાવાદ તરફ જતી પ્રાઇવેટ સહજાનંદ ટ્રાવેલ્સની બસ હળવદ બાય પાસ રસતા એવા ચોકડી પાસે ટેલર સાથે ભટકાતા ડ્રાઈવરનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત હતુ, જેમાં બસ ચાલક નાથુલાલ ઉર્ફે (અજય) રૂપાજી પટેલ રહે, ખરેવાડા રાજસ્થાન, હાલ રહે લાભાં અમદાવાદ. મૃતક બસ ચાલકના બે સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી. મૃતક ના ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઇ હતી. અકસ્માત ની કરુણતા એ હતી કે બસ ચાલાક અજય નો નાનો ભાઈ કુવેત (દુબઈ)આવવા માટે નીકળી ગયો હતો અને રાત્રિના તેમના ઘરે ભજન સંધ્યા કીર્તન પ્રોગ્રામ હતો. મહેમાનો પણ ઘરે આવ્યા હતા. એ સમયે આવા દુઃખદ સમાચાર મળતા ધરમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા હળવદ પી.એસ.આઈ જે.કે. મૂળિયા, ભરતભાઈ રબારી , રમણીકલાલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા ,જયા ફરજ પરના સરકારી દવાખાનાના ડોકટર કૌશલ પટેલ મૃત જાહેર કરેલ હતા. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:33 am IST)