Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ધોરાજીના પોલીસયંતગ્રસ્તઓ સોનલબેન કુનેહુથી લાકડાની એન્ટીક વસ્તુઓ બનાવી પગભર થયા

મન હોયતો માળવે જવાયની ઉકિત સાર્થક કરી

ધોરાજી, તા.૨૨: કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને એમ પણ કહેવાય છે ઇશ્વર જયારે કંઇક મનુષ્ય પાસેથી લેૅ છે. ત્યારે એનાથી અનેક ગણું પાછું આપે છે. આ જ વાત ધોરાજીના જેતપુર રોડ, બજરંગ એસો પાસે રહેતા સોનલબેન વિજયભાઇ માથુકિયાએ યથાર્ય કરી બતાવી છે.

અહીં વિગત એવી છે કે જેતપુર રોડ પર રહેતા સોનલબેન વી. માથુકિયાને માત્ર ૨ વર્ષની નાની ઉંમરે બને પગ પોલિયોગ્રસ્ત થઇ ગયા. કુદસ્તનાં આવા કુર મિજાજથી સહેજ પણ દુઃખી યતા વગર ગભરાયા વગર પોતાનાં જીવનમાં આવતી બધી જ સમસ્યાને ગણકાર્યા વગર ધોરણ-૮ થી જ કલા પત્યે રૂચિ ધરાવતા થઇ ગયા અને અવનવી લાકડાની તેમજ સૂકાઇ ગયેલી વેલ તેમજ સૂકા પાંદડા માંથી ગ્રહ શુશોભનની અવનવી વસ્તુઓ બનાવે તેમજ વેચાણ કરે છે. જેમાં કી સ્ટેન્ડ, શો પીસ, ઘડિયાળ, વોલપીસ જેવી અનેકવિધ વસ્તુંઓ બનાવે છે જે કયાંક પણ જોવા મળતી નથી તે પોતાની બુધ્ધિ ચાર્તુથ તેમજ પોતાની સુઝ, આવડતથી જ બનાવે છે. જયારે સોનલબેનને પૂછયું કે આ વસ્તું બનાવવા માટે કદી પણ ઇન્ટરનેટનો ઉપયોગૅ કરેલ નથી. તેમજ તેમની આવડત, કોઠા સૂઝની કોઇ કોપી પણ કરી શકે નહિ પોતાનાં પરિવાર વિશે સોનલબેનને પુછતા તેમણે પોતાનાં પરિવાર વિશે સોનલબેન ને પૂછતા તેમણે કહ્યું હતું કે પરિવારનાં તમામ સદસ્યાનો સપૂર્ણ સાથ સહકારથી  જ આ શકય બને છે. તેમનાં પતિ પણ પોલિયો ગ્રસ્ત છે છતાં પણ તેમની આ ખામીને તેમણે ખૂબીમાની સંપૂર્ણ રીતે સોનલબેનને સહકાર આપે છે અને વુડન એન્ટીક આઇટમો બનાવવામાં તેમને પુરેપુરો સાથ આપે છે.

બંને પગે પોલિયો હોવા છતાં સોનલબેન વુડન આઇટમ સિવાય પણ ઘણી જ બાબતોમાં કુશળ છે. જેમ કે ડ્રોંઇગ પણ તેમનું અદભૂત છે. જેને તે ગોડ ગીફટ માને છે. જેમાં તેમણે ૨૦ ફૂટની રંગોળી બનાવેલ છે. ઇશ્વરે આપેલી આ ખોટને તેમણે ખુબી સાબિત કરી દીધી જયારે મનાલી રીવર રાફટીંગ અને રીવર  કોસીંગ થકી.

આ ઉપરાંત તેમણM.A.B.E.D PHDે કરેલું છે તેમજ C.B.S.Cબોર્ડમાં ટીચર તરીકે ૧૪ વર્ષ ફરજ બજાવેલ છે.

ખૂબ સરળ સ્વભાવ ધરાવતા સોનલબેન વધુમાં જણાવ્યું હતું કે પોતે વાંચનનો ખૂબ શોખ ધરાવે છે. તેમણે પોતે હાસ્યને લગતી ૫ બુકસ પ્રકાશિત કરેલી છે. તેમજ પોતાનાં ઘરેૅ લાઇબ્રેરી પણ વસાવેલી છે.(૨૨.૬)

(12:56 pm IST)