Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કચ્છના નલીયા પાસે શીખ પરિવાર વચ્ચે મારામારીઃ ફાયરીંગની ચર્ચા વચ્ચે ૧ નું મોતઃ ર ને ઇજા

ભુજ, તા., રરઃ નલીયાના ભાનાડા ગામ પાસે જમીનના મુદ્દે બે શીખ પરીવારો વચ્ચે થયેલ ઝઘડામાં ફાયરીંગ થયાની ચર્ચા સાથે ચકચાર સર્જાઇ છે.

ત્રણ વ્યકિતઓ આ ઝઘડામાં ઘાયલ થયા હોઇ તેમને ભુજની જી કે જનરલ હોસ્પીટલમાં ખસેડાયા છે.  જે પૈકી મનજીતસિંઘ વૃધ્ધ ઉંમરના હતા અને તેમના મોતનું કારણ ફાયરીંગ દર્શાવાઇ રહયું છે.

જો કે કોઠારા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હજી કોઇ સતાવાર માહીતી પોલીસે આપી નથી પણ ચર્ચા મુજબ ચાર વર્ષ જુના જમીનનો આ ઝઘડો બે પરીવાર માટે અથડામણનું કારણ બન્યો હતો. જેમાં ફાયરીંગ થયાની ચર્ચાએ પોલીસને દોડતી કરી છે. (૪.૫)

(12:05 pm IST)