Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

માળીયા હાટીનામાં બળો મનોરથ

માળીયા હાટીના : ગોવર્ધનનાથજીની હવેલીના શ્રી ઠાકોરજીને પુરૂષોત્તમમાસમાં પુષ્ટિમાર્ગમાં જેને બળો મનોરથ કહેવાય છે એવો છપ્પન ભોગ શ્રી ઠાકોરજીને ધરાવવાનો અલૌકિક મનોરથના દર્શન હવેલીના ગાદીપતી પ.પુ.નવનીતલાલજી તથા અંજનરાયજી મહોદયની ઉપસ્થિતમાં રાખેલ હતા. દર્શન ખુલતા વૈષ્ણવોનો પ્રવાહ દર્શન માટે ઉમટી પડયો હતો. દર્શન કરાવવા માટે સ્વયંમ સેવકો તથા પોલીસ હોમગાર્ડ દ્વારા વ્યવસ્થા અને બંદોબસ્ત કરવામાં આવેલ. હજારો વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો. મનોરથ દર્શનની તસ્વીર.

(12:01 pm IST)