Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

ગારિયાધારના સંત શિરોમણી વાલમરામ બાપાની પુણ્યતિથિ ઉજવાઈ :ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી અને ડાયરો યોજાયો

ચરણપાદુકા પૂજન,બટુક ભોજન સહિતના અનેકવિધ કાર્યક્રમો :શહેરમાં ખાણીપીણીના સ્ટોલ લાગ્યા

ગારિયાધાર :સૌરાષ્ટ્રના સિદ્ધપુરુષ સંત શિરોમણી વાલમરામ બાપાની પુણ્યતિથિ ઉજવાઈ હતી આ પ્રંસગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મહા આરતી અને ડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો પુણ્યતિથિ નિમિતે ચરણપાદુકા પૂજન,બટુક ભોજન સહિતના અનેકવિધ કાર્યક્રમો :શહેરમાં ખાણીપીણીના સ્ટોલ લાગ્યા હતા

શોભયાત્રામાં ઘોડેસ્વારો અલગ અલગ કૃતિઓમાં વિવિધ મંડળોના ફ્લોટ્સ મહિલા મંડળો,સત્સંગ  મંડળો ટ્રેકટરો જોડાયા હતા શોભાયાત્રામાં બાળાઓ ગામથી પોશાકમાં સજ્જ થઇ હતી

  પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ જેમાં 80 બોટલ રક્ત એકત્ર થયેલ હતું

(8:03 pm IST)