Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જામનગરનાં વાગડીયામાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ પ૦ લોકોને ફૂડ પોઇઝીંગ

જામનગરઃ તસ્વીરમાં ફૂડ પોઇઝીંગના અસરગ્રસ્તો સારવારમાં નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: જામનગર જિલ્લાના વાગડીયામાં ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ પ૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગની અસર થઇ છે... ફૂડ પોઇઝનીંગનસ અસરને લઇને અસરગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

વાગડીયામાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જયાં ભોજન પ્રસાદનો લાભ લીધા બાદ કેટલાય લોકોને ઝાડા ઉલ્ટી થવા લાગ્યા હતા. જેથી તાબડતોબ ખાનગી વાહનોમાં પ૦ થી વધુ લોકોને મોડી રાત્રે જામનગર જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયાં હાલ તબીબો દ્વારા મોટાભાગના લોકોને સારવાર કરી રહી છે.

(3:31 pm IST)