Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ઉપલેટા : ગઝલકારનું પુ.મોરારીબાપુના હસ્તે સન્માન

 ઉપલેટા : વાંકાનેર ખાતે સર્વ ધર્મ સમભાવ સંમેલનમાં ગઝલકાર શૈલેનભાઇ રાવલનું સાહિત્ય સેવા બદલ સંતશ્રી મોરારીદાસ હરિયાણીના હસ્તે સન્માન કરાયુ છે. શૈલેન રાવલ ૧૯૭૩થી સાહિત્ય સર્જનક્ષેત્રે પ્રવૃત છે. ૧૯૮૪થી આકાશવાણી માન્ય કવિ છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીમાં પણ તેમની રચનાને સ્થાન મળેલ છે. અત્યાર સુધીમાં તેમના અનેક રેડીયો નાટકો, ગઝલ, આકાશવાણી પરથી પ્રસારીત થઇ ચૂકયા છે. કવિતાના તમામ જાણીતા સામયિકોમાં તેમની અનેક રચનાઓ પ્રસિધ્ધ થઇ ચૂકી છે. શૈલેન રાવલ લિખિત સાહિત્ય તેમજ ગઝલના ૩ પુસ્તકો પણ પ્રકાશીત થયેલ છે. આમ તેઓ સિધ્ધનાથ ટ્રસ્ટ સાથે પણ અનેક સામાજીક રચનાત્મક કાર્યો સાથે સંકળાયેલ છે. મેહુલભાઇ મહેતા, રાજેશભાઇ ત્રિવેદી, મનીષભાઇ પટેલ, દિપકભાઇ ત્રિવેદી વગેરેએ અભિનંદન પાઠવ્યા છે.

(11:57 am IST)