Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર અને ઉપલા દાતાર હોલીકા દહન

જૂનાગઢ ગિરનાર પર્વત સ્થિત અંબાજી માતાના મંદિરે મહંત પુ. તનસુખગીરી બાપુના માર્ગદર્શન હેઠળ હુતાસણી હોલીકાદહન કરાયું હતું જેમાં નાળીયેર અને છોતરાઓ અને ઘાસની હોળી કરાય હતી તેમજ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતાર છાણાની હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં દાતારની જગ્યાના મહંત પુ. ભીમબાપુએ પુજન અને પ્રદક્ષિણા કરી જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:56 am IST)