Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સુરેન્દ્રનગર માતૃવંદના તીર્થ વૃધ્ધાશ્રમની મુલાકાતે

સુરેન્દ્રનગર : જૈન જાગૃતિ સેન્ટર કાંદીવલી મુંબઇના સભ્ય ભાઇ બહેનો માતૃશ્રી હીરાબેન નવીનચંદ્ર સોગઠી માતૃવંદના તીર્થ વૃધ્ધાશ્રમની મુલાકાતે પધારેલ. તેઓશ્રીનું સ્વાગત કિરણભાઇ મહેતા તથા સંચાલકશ્રીએ કરેલ. મુંબઇથી પધારેલ જૈન જાગૃતિ સેન્ટર કાંદીવલીના સભ્ય બહેનોએ વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધ ભાઇ બહેનોને નીતાબેન સોગઠીના હસ્તે શાલ કપડા તથા રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. મુંબઇથી પધારેલ પ્રદિપભાઇ સોગઠી, નીલાબેન સોગઠી તથા જૈન જાગૃતિ સેન્ટરના ચેરમેન સંજયભાઇ શાહ તથા શ્રીમતી રેખાબેન સંજયભાઇ શાહ, મુકેશભાઇ શાહ તથા કિરણભાઇ તથા અન્ય ભાઇ બહેનો પધાર્યા હતા.

(11:55 am IST)