Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જુનાગઢના પાદરીયા ગામે સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

શાસ્ત્રી ભકિતપ્રકાશદાસજી સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે

જુનાગઢ તા.રરઃ જુનાગઢ નજીક આવેલ પાદરીયા ગામે આગામી તા.ર૬ને સોમવારથી  શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો પ્રારંભ થઇ રહ્યો છે.

સમસ્ત પાદરીયા ગ્રામ સમાજ દ્વારા ગ્રામ અને વિશ્વ કલ્યાણ અર્થે આયોજીત આ કથામાં દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩-૩૦ થી ૬-૩૦ કલાક સુધી વ્યાસપીઠ પર બિરાજી શાસ્ત્રી ભકિતપ્રકાશદાસજી (હિન્દુ રાષ્ટ્ર હિત રક્ષક) પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે. તા.૧ એપ્રીલને રવિવારના રોજ કથાનીપુર્ણાહુતિ થશે. આ કથામાં મહંત ભીખુનાથબાપુ ઉપસ્થિત રહી આશિવર્ચન પાઠશવે ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા આયોજકોએ અપીલ કરી છે.

(11:38 am IST)