Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ દ્વારા હનુમાન જયંતિ ઉજવાશે

ગોંડલ તા. ૨૨ : શહેરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આગામી તા. ૩૧ શનિવારના રોજ હનુમાન જયંતી ઉજવણી કરવામાં આવનાર છે, આ તકે વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી વળશે, કેસરી ઝંડા સાથે ૧૫૦૦ મોટરસાયકલો પણ જોડાશે.

તા. ૨૪ને શનિવારે રાત્રે ૯ કલાકે ટાઉનહોલ બક્ષીપંચ કાર્યાલય ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમામ હિન્દુ સંગઠનો ધાર્મિક મંડળો અને આગેવાનો ઉપસ્થિત રહેનાર છે, ઉપરાંત ત્રિશુલ દીક્ષા લેવા માગતા યુવાનો અને મોબાઈલ ૮૨૩૦૮ ૮૨૩૦૯ ઉપર મિસ કોલ કરવા જણાવાયું છે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે હિન્દુ સંગઠનના હોદ્દેદારો હિરેનભાઈ ડાભી, ગોપાલભાઈ ભુવા, ધર્મેન્દ્રભાઈ રાજાની, હર્ષદભાઈ રામોલિયા, રશ્મિનભાઈ અગ્રાવત, મહેશભાઈ ગોહેલ, હિતેશભાઈ શિંગાળા, નિર્મળ સિંહ ઝાલા, ભુપતભાઇ ચાવડા તેમજ અનિલભાઈ ગજેરા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:36 am IST)