Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મોટા સમઢીયાળાનો પીડીંત દલિત પરિવાર બુદ્ધ પૂર્ણિમાએ બૌધ ધર્મનો અંગીકાર કરશે : કલેકટરને જાણ કરી

ઉના, તા. રર : તાલુકાના મોટા સમઢીયાળા ગામનો પીંડીત દલીત પરિવાર તા. ર૯મીએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ધર્મ પરિવર્તન કરવા કલેકટરને જાણ કરી છે.

ઉનાના ગીરગઢડા તાલુકાના મોટા સમઢીયાળાના દલીત બાલુભાઇ વીરાભાઇ સરવૈયા તથા પરિવાર સભ્યો વશરામભાઇ બી. સરવૈયા તથા કાનજીભાઇ બીજલભાઇ એ ગાંધીનગર જીલ્લા કલેકટરને લેખીતમાં અરજી કરી છે કે ૧૧/૭/ર૦૧૬ના રોજ ઉના તાલુકામાં દલીતકાંડ થયેલ હતો જેમાં દલિત સમાજે ઉપર અત્યાચાર ગુજારેલ હતો અને અન્યાયનો ભોગ બન્યા હતાં તેમની જ્ઞાતિને સમાજમાં નીચી બતાવી તેમની ધાર્મિક લાગણીને ડેસ પહોંચેલ છે.

તેથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા આગમી તા. ર૯ એપ્રિલના રોજ બુદ્ધ પૂર્ણિમાના દિવસે પીંડીત બાલુભાઇ વીરાભાઇ સરવૈયા તથા તેના પરિવારજનો બૌધ ધર્મ અંગીકાર કરવાનો હોય તેથી કલેકટરને જાણ કરી હતી.

(11:32 am IST)