Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કાલે વિજયભાઇ રૂપાણીના હસ્તે તરણેતરમાં સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો પ્રારંભ

વઢવાણ, તા.૨૨: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શ્રમદાન કરીને કાલે તા.૨૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૯:૩૦ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતેથી સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો પ્રારંભ કરશે. તરણેતરનું તળાવ એ દર વર્ષે યોજાતા વિશ્વ વિખ્યાત તરણેતર મેળાની નજીક આવેલ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી રૂપાણીની સાથે જિલ્લાના સાંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ અને ગ્રામજનો પણ આ કાર્યમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ ઝુંબેશને વ્યાપક સફળતા મળી હતી અને આવતીકાલથી શરૂ થઈ રહેલી આ ઝુંબેશમાં લોકો સ્વયંભુ જોડાય તે જોવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.(૨૩.પ)

 

(12:26 pm IST)