Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પંચાસીયા ગામે શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ

 વાંકાનેર : તાલુકાના પંચાસીયા ગામે સર્વે સમાજની ઉપસ્થિતીમાં  પુલવામા શહીદ  થયેલ સી.આર.પી.એફ. ના જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ. મુસ્લીમ સમાજ, પટેલ સમાજ, દેવી પુજક સમાજ, કોળી સમાજ, વાણંદ સમાજ, દલીત સમાજ, સહીતના સર્વેસમાજના અગ્રણીઓ, ગ્રામ્યજનો ઉપરાંત સરપંચ, જીલ્લા અને તાલુકા  તથા ગ્રામ પંચાયતના સદ્સ્યો વિગેરે  ઉપસ્થિત રહ્યા હતા અન ેકેન્ડલ સાથે શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી, તેમજ શહીદ જવાનોના પરિવાર માટે રૂા ૨૫૦૦૦/ (પચીસહજાર)ધન રાશી પણ એકત્રીત કરી હતી, તેમ મોરબીજીલ્લા કોંગ્રેસ અગ્રણી અકબરભાઇ બાદીએ જણાવ્યું છે. શ્રધ્ધાંજલી અર્પી તે તસ્વીર (૩.૩)

 

 

(12:13 pm IST)