Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સુરેન્દ્રનગર અર્મીમેનના બાળકોએ ફાળો એકત્ર કયો

 સુરેન્દ્રનગરઃ- તાજેતરમાં કાશ્મીરના પુલવામા ક્ષેત્રમાં બનેલી આતંકી ઘટનામાં શહીદ થયેલા ૪૨ જેટલા શહીદોના કલ્યાણ માટે સુરેન્દ્રનગર ખાતે રહેતા એકસ આર્મીમેન મયુરસિંહનો પુત્ર અને ધોરણ-૮માં અભ્યાસ કરતા ઝાલા દિવ્યરાજસિંહ મયુરસિંહ અને તેના મિત્ર પરમાર ધૈર્યરાજ નરેન્દ્રસિંહએ ઘરે-ઘરે ફરીને ફાળો એકત્ર કરી એક દેશભકિતનું ઉત્કૃષ્ટ ઉદારણ પુરૂ પાડયું છે.  બંન્ને બાળકો ઝાલા દિવ્યરાજ અને ધૈર્યરાજ નરેન્દ્રસિંહ ઘરે-ઘરે ફરીને લોકો પાસેથી એકત્ર કર્યો હતો અને શહિદોના પરિવારને ફાળવવા અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલાને ચેક અર્પણ કર્યો હતો. અધિક કલેકટરશ્રી એન.ડી.ઝાલાએ બાળકોની રાષ્ટ્રપ્રેમની ભાવનાને બિરદાવી હતી. તે પ્રસંગની તસ્વીર.(૨૨.૩)

 

(12:07 pm IST)