Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પોરબંદરમાં એસટી. કર્મચારીઓની હડતાલ દરમિયાન ખાનગી બસો એસ.ટી. બસ સ્ટેશન સુધી જશે

બહારગામ જવા અન્ય વાહનો એસ.ટી. બસ સ્ટેશનથી મળી રહેશેઃ અધિક કલેકટર

પોરબંદર, તા.૨૨:- એસ.ટી. કર્મચારીઓની બે મુદતી હડતાલ દરમિયાન મુસાફરોને બહારગામ જવા હાલાકી ન વડે તે માટે એસ.ટી. બસ સ્ટેશનથી ખાનગી બસો અને અન્ય વાહન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાની જાહેર જનતાજોગ યાદીમાં ઇનચાર્જ અધિક કલેકટર કે.વી. બાટીએ જણાવેલ કે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ અનિશ્ચિત મુદત માટે હડતાલ પર હોય જેથી મુસાફરોને કોઇ પણ જાતની હાલાકી ન પડે તે માટે પ્રાઇવેટ સંચાલકોની બસો એસ.ટી.બસ સ્ટેન્ડ સુધી જશે અને બહાર ગામ જવા માટે પણ વાહનો એસ.ટી.ડેપો પોરબંદરથી મળશે.(૨૨.૫)

 

(12:06 pm IST)