Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ગીર ગઢડાના ખીલાવડમાં હઝરતપીર જીન્દારશા મદારશા બાબાનો ઉર્ષ

ઉના, તા.૨૨: ગીરગઢડા તાલુકાનાં ખીલાવડ ગામે નદી કાંઠે હઝરત પીર જીદન્દારશા મદારશા બાબાની દરગાહે દર વરસની પરંપરા મુજબ ઉર્ષ શરીફ તા.૨૩ને શનિવારે શાનો સોકતથી ઉજવાશે.

બપોરે ૨:૩૦ કલાકે સંદમ શરીફનું ઝુલુસ દરગાહે પહોંચી સંદલવિધી કરી ચાદર ચઢાવશે. ત્યારબાદ મહેફીલે મીલાદ ત્યારપછી નમાઝે ઇશા અને રાત્રીનાં સૈયદ સાજીદબાપુ હાસમી એન્ડ દાદા સરકાર કમીટી લાઠીના મશહુર કવ્વાલો રમઝટ બોલાવશે. તમામ હિન્દુ-મુસ્લીમ બિરાદરોને પધારવા આયોજક હાસમભાઇ સુમારભાઇ બાદશાહ ખીમાવડબાબાએ નિમંત્રણ એક યાદીમાં  આપેલ છે.(૨૩.૪)

 

(11:58 am IST)