Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ગિરનાર ડેવલોપમેન્ટ માટે બજેટમાં ગ્રાન્ટ ફાળવણીને પૂ.ભારતીબાપુ દ્વારા આવકાર

જુનાગઢ તા.રરઃ રાજય સરકાર દ્વારા ગિરનાર સીડીના જીર્ણોધ્ધાર અને મીનીકુંભ માટે બજેટમાં ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીને ર૦ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવતા શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ.વિશ્વંભર ભારતીજી મહારાજે આવકારી અભિનંદન પાઠવ્યા છે.

પુ.ભારતીબાપુએ અવારનવાર રાજય સરકારમાં ગિરનારના વિકાસને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરેલ જેના પુરૂષાર્થને લઇ અને ર૦૦ વર્ષથી જે કામ થયતું નહોતું તે કામ રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા આ ઐતિહાસીક કામ બની રહેશે.

(11:33 am IST)