Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ડો.સૈયદના સાહેબ આજે ગારીયાધાર- સોનગઢમાં સાંજે મુંબઈ રવાના

રાજકોટઃ વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદ્ીન સાહેબ (ત.ઉ.શ.) છેલ્લા દસ દિવસથી સૌરાષ્ટ્રમાં બીરાજમાન છે. જેમાં ભાવનગર, ઘોઘા, પાલીતાણા, સિહોર, મહુવા, સાવરકુંડલા, રાજુલા, ગારીયાધાર જશે અને સાંજે સોનગઢથી ટ્રેઈન દ્વારા મુંબઈ જવા રવાના થશે. ભાવનગર અને મહુવામાં નવી બનેલ મસ્જીદનું ઈફતીતાહ (ઉદ્ઘાટન) કરેલ હતું. દરેક ગામમાં વાઅઝ ફરમાવેલ હતી અને પોતાના અનુયાયીઓને દિદાર તથા કદમબોસીનુ શર. આપી ઘણો જ શીખ સંદેશો આપેલ હતો. જેમકે પોતાના દેશને વફાદાર રહી શિસ્તબધ્ધ નાગરીક બની રહેવાની તેમજ પર્યાવરણ બાબતે અત્યંત જાગૃત રહેવા. ઘણી જ શીખ આપેલ હતી. ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની આ દસ દિવસની મુલાકાતથી સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજમાં ખુશી ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તેમ શેખ યુસુફભાઈ જોહરકાર્ડસ વાળાએ પ્રેસ યાદીમાં જણાવ્યું હતું.

(11:30 am IST)