Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સાવરકુંડલામાં મકરસંક્રાંત નિમિતે જરૂરિયાતમંદ વિસ્તારોમાં લાડુનુ વિતરણ

સાવરકુંડલા તા.૨૨ : સાવરકુંડલામાં વર્ષોથી માનવ શિક્ષણ આરોગ્યક્ષેત્રે સેવા પ્રવૃતિ કરતી સંસ્થા ગુણવંત નિમાવત સ્મારક ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા પ્રાંચીબેન અંકીતકુમાર શેઠની સ્મૃતિમાં તલ, મમરા, શીંગ, રાજગરાના લાડવાના પેકેટ શહેરના છેવાડાના પછાત જરૂરીયાતમંદ વિસ્તારમાં વિતરણ કરાયુ હતુ.

ત્રણ દિવસ ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઇ ભટ્ટ, મંત્રી નંદલાલભાઇ સાદિયા, સાથી સભ્યો કે.ડી.મહેતા, પ્રકાશભાઇ ગોસ્વામી, રતિભાઇ સુરજીવાળા, ધનજીભાઇ કાચા, મહેશભાઇ કંસારા અને સ્વયંસેવકો દ્વારા બાળકોને લાડુ વિતરણ કરેલ. ટ્રસ્ટ દ્વારા માનવતાની જયોત જગાવનારા આવા મુક સેવકોને શહેરીજનોએ બિરદાવ્યા હતા.

(11:40 am IST)