Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સિધ્ધવડથી પાલીતાણા પરત ફરતી બસ ગટરના તૂટેલા ઢાંકણામાં ફસાઇઃ ૪૫ યાત્રિકોનો બચાવ

પાલીતાણા તા.૨૨: આજે સિધ્ધવડ થી પાલીતાણા પરત ફરતી યાત્રીકોની બસના ડ્રાઇવર સાઇડના પાછલા જોટા ગટરના ખુલ્લા ઢાંકણામાં ગરકાવ થતા અંદર બેઠેલા યાત્રીકોની કીકીયારીથી સ્થાનીક રહીશો દોડી આવ્યા હતા.સ્થાનીકો દ્વારા બસમાં બેઠેલ તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા.

આદપુર રોડ પર આવેલ સ્મશાન (મોક્ષધામ) પાસે રોડ ગટરના ઢાંકણા તૂટી ગયેલ જેથી ગટરનું ગંદુ પાણી રોડ પર ફરીવળે છે અને મોક્ષધામ ન નામીને લઇ જનાર ડાધુઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે થોડા દિવસ પહેલા સ્થાનીક રહીશોએ ગંદાપાણીનો વિડીયો વાયરલ કરેલ અને ચુંટાયેલનગર સેવકો (ભાજપ) નામે ઘણુ બધુ કહ્યુ હતું.

પરંતુ પ્રજા સુધી વાયરલ વિડીયો પહોચે પરંતુ ચુંટાયેલા તેવોર્ડના ભાજપના નગરસેવકો અને નપાના સતાધીશો સુધી કેમન પહોચ્યો તે પ્રશ્ન છે.

જૈન સમાજ દ્વારા આવી ઘટના વિશે ગાંધીનગર કક્ષા સુધી ફરીયાદ કર્યાનું સાંભળવા મળી રહ્યુ છે.

(11:39 am IST)