Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દૂધરેજ કેનાલ પાસે ઝુપડપટ્ટી વસાહતમાં ગરમ કપડાનું વિતરણ

નિરંકારી મિશન દ્વારા

વઢવાણ તા.રર : સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ કેનાલ પાસે ખુલ્લા મેદાન માં રહતી વસાહટ માં જોવા મળેલ. જેમાં યુથ શાઈન એકટીવીટીઝ ફાઉંડેશન ના સંસ્થાપક શ્રી નિકુલ લાડવા વ સહયોગી શ્રી અગમ શાહ સાથે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉંડેશન ના શ્રી હિતેષજી વ શ્રી ગુરદિતજી ના માર્ગદર્શન માં સ્વયંસેવકો ના સંયુકત ઉપક્રમ દ્વારા માનવસેવા અર્થે જરૂરિયાતમંદ પુરુષો, મહિલાઓ વ બાળકો માટે સ્વેટર, શાલ, કપડાઓ વગેરે ની અંદાજિત ૨૦૦ જોડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ.

નિરંકારી મિશન ના વડા સદગુરૂ માતા સુદીક્ષા જી મહારાજ ની શિક્ષાનુસાર દરેક પ્રાણીમાં નિરાકાર પ્રભુ નો વાસ છે માટે દરેક ની સેવાથી જ પરમાત્મા પ્રસન્ન થાય છે. આ અનુસંધાને વર્તમાન સમય માં ખુબજ ઠંડી પડતી હોવાથી ઉપરોકત સ્થળે ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોમાં જીવનોપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

 નિરંકારી સ્વયંસેવકો અને યુથ શાઈન સંસ્થા ગત કેટલાંક વર્ષોથી સુરેન્દ્રનગર શહેર માં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ વગેરે જેવી અન્ય સમાજ-કલ્યાણ સેવાઓ માં પણ કાર્યરત છે.

(11:37 am IST)