Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મેટોડાની ભઠ્ઠીમાં બ્લાસ્ટમાં મજુરનું મોત થતા કારખાનેદાર રાજકોટના સુમન બુટાણી સામે બેદરકારીનો ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૨૨ :. મેટોડા જીઆઈડીસીના કારખાનામાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા મજુરનું મોત થતા રાજકોટના કારખાનેદાર સામે બેદરકારીનો ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઈડીસી ગેઈટ નં. ૨ પાસે શ્રીજી પાઉડર કોટીંગ કારખાનામાં ગત તા. ૬ના રોજ ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા સુશીલ પ્રધાન નામના મજુરનું મોત થયુ હતું. આ અંગે મૃતકના પિતરાઈ ભાઈ સમીર બાટા પ્રધાને કારખાનેદાર સુમન રવજીભાઈ બુટાણી રહે. રાજકોટ સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ કારખાનામાં ચાલતી ભઠ્ઠીની સક્ષમ અધિકારી પાસે ચકાસણી નહિ કરાવી બેદરકારી દાખવતા ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા ફરીયાદીના મોટા બાપાના દિકરાનું બેદરકારીને કારણે મોત થયુ હતું. આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે કારખાનેદાર સુમન બુટાણી સામે આઈપીસી ૩૦૪ મુજબ ગુન્હો દાખલ કર્યો છે. વધુ તપાસ પીએસઆઈ વી.બી. બરબસીયા ચલાવી રહ્યા છે.

(11:25 am IST)