Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

જામનગર આશ્રમમાં વૃધ્ધા દાઝી ગયા

રાજકોટ તા. ૨૨: જામનગરમાં અણદાબાપાના આશ્રમમાં રહેતાં નિર્મળાબેન જગદીશભાઇ માંડલિયા (ઉ.વ.૮૫) દાઝી જતાં સારવાર માટે જામનગર હોસ્પિટલમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. નિર્મળાબેન ગઇકાલે સવારે છએક વાગ્યે દિવા કરતાં હતાં ત્યારે સળગતી દિવાસળી કપડા પર પડતાં દાઝી ગયાનું પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવાતાં જામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(11:22 am IST)