Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વાંકાનેરના જોધપર નજીક અજાણ્યા વાહનની ઠોકરે રાહદારી વૃદ્ધનું મોત

માથામાં ઇજા થતા ઘટનાસ્થળે મોત : અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો

નડિયાદના ચકલાસી જાદવપુરાના રહેવાસી મહેન્દ્રભાઈ વાઘેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદના પિતા ઠાકોરભાઈ સોમાભાઈ વાઘેલા (ઉ.વ.૬૫) જોધપરથી વાંકાનેર હાઈવે પર પગપાળા જતા હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે પિતાને હડફેટે લેતા માથાના ભાગે ઈજા કરતા સ્થળ પર જ મોત થયું છે અને અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત અંગે અજાણ્યા વાહનચાલક સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:38 am IST)