Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

મેંદરડાના કેનેડીપુરના યુવાનના મોતના મામલે સીબીઆઇ દ્વારા તપાસ

જુનાગઢ સર્કીટ હાઉસ ખાતે મૃતકના પિતાની પુછપરછ

જુનાગઢ તા ૨૨મેંદરડાના  કેનેડીપુરના યુવાનના મોતના મામલે સીબીઆઇ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી હોવાનું અને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે  મૃતકના પિતાની પુછપરછ  હાથ ધરવામા આવી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામના એક કુવામાંથી  જુન ૨૦૧૭ના રવિ બાબરીયા નામના યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી, જેની જાણ થતા પોલીસે મૃત દેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પરંતુ પોલીસ તપાસથી સંતોષ નહીં થતા મરનાર યુવકના પરિવારજનો એે હાઇકોર્ટના દ્વાર ખટખટાવીને સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.

સાસણ ખાતે આરોગ્ય  વિભાગના હંગામી કર્મચારીની ફરજ બજાવતા રવિ બાબરીયાના મોત અંગેની તપાસ માટે સીબીઆઇ અને એસપી મીનાની આગેવાનીમાં જેટલા સીબીઆઇના અધિકારીઓ કર્મચારીઓ  જુનાગઢ આવ્યા હોવાનું જાણવા મળેલ છે અને  જુનાગઢમાં મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મૃતકના  પિતાની પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

રવિ બાબરીયાના મોતની તપાસ માટે આવેલા સીબીઆઇના  સુત્રોએ  કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો અને તપાસ બાદ વિગતો  જાહેર કરવામાંઆવશે તેમ જણાવ્યું હતું. (.)

(4:23 pm IST)