Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

બામણબોર પાસે બસમાં લાગેલી આગમાં દાઝેલા રાજકોટના પટેલ મહિલા નીતાબેન ખુંટનું મોત

સાત દિવસ પહેલા પટેલ મહિલા પરીવાર સાથે ખાનગી બસમાં દાંડીથી રાજકોટ આવતા'તાઃબસમાંથી ઉતરતી વખતે ચાર વ્યકિત દાઝયા હતા

રાજકોટ,તા., રરઃબામણબોર પાસે સાત દિવસ પહેલા ખાનગી બસમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ચાર વ્યકિત બસમાંથી ઉતરતી વખતે દાઝી ગયા હતા. જેમાં રાજકોટ અમૃત ગોવર્ધન સોસાયટીના પટેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ માલવીયા નગર વિસ્તારમાં સુપર માર્કેટ પાસે અમૃત ગોવર્ધન સોસાયટીમાં રહેતા નિતાબેન ભાવેશભાઇ ખુંટ(..૩૭) પરીવાર સાથે દાંડી ગયા હતા અને ગત તા.૧૬ના રોજ ખાનગી બસમાં દાંડીથી રાજકોટ આવતા હતા ત્યારે બામણબોર પાસે બસના આગળના ભાગેશોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બસમાં બેઠેલા મુસાફરોમાં અફડાતફડી મચી ગઇ હતી. બસમાં ધુમાડો નિકળતા ચાલકે બસ સાઇડમાં ઉભી રાખતા મુસાફરો નીચે ઉતરી ગયા હતા. જેમાં નિતાબેન ભાવેશભાઇ ખુંટ તથા તેની સાથે અન્ય ત્રણ વ્યકિતઓ પાછળની સીટમાં બેઠા હતા અને તેઓ બસમાંથી ઉતરવા જતા ચારેયને સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં નીતાબેન ખુંટનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વી. સી. પરમારે પ્રાથમીક કાગળો કરી બામણબોર મોકલ્યા હતા.(.)

(4:17 pm IST)