Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લોકવિદ્યાલય વાળુકડમાં વાલી સંમ્મેલન યોજાયું

ઇશ્વરિયાઃ શ્રી વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોકવિદ્યાલય-વાળુકડ ખાતે શ્રી નાનુભાઇ શિરોયાના માર્ગદર્શન સાથે યોજાયેલ વાલી સંમ્મેલનમાં શ્રી રાજેન્દ્ર ખિમાણી તથા શ્રી નાનકભાઇ ભટ્ટની ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સંચાલનમાં શ્રી ધર્મિષ્ઠાબેન રાણપુરા રહયા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મુકેશ પંડિત)(૧.૧)

 

(9:39 am IST)