Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વાંકાનેરમાં દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં ડો. સ્વ. હાકેમચંદ સંઘવીની પ્રતિમાનું અનાવરણ

વાંકાનેર, તા. ૨૨ :. વાંકાનેરનું દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર (બંધુ સમાજ દવાશાળા)માં આ હોસ્પીટલના ભૂતકાળના ડોકટર સ્વ. હાકેમચંદ સંઘવીએ વાંકાનેરના દર્દીઓની ખૂબ સેવા કરેલ હોય, તેની યાદગીરી રૂપે ડોકટર રત્નનો આદર તબીબી જગત તથા નાગરિકોને સતત પ્રેરણા આપે તે ધ્યાને લઈને, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર, બંધુ સમાજ દવાશાળામાં ડો. સ્વ. હાકેમચંદ સંઘવીની પ્રતિમાનું અનાવરણ, તેઓની પુત્રી મીતલબેન મહેતા, તેઓના પતિ તથા સ્વ. હાકેમચંદના જમાઈ, ભૂપેનભાઈ મહેતા (યુએસએ)ના હસ્તે કરાયુ હતું.

આ પ્રસંગે સ્વ. ડો. હાકેમચંદના પરિવારજનો તેમજ લંડન સ્થિત રમણીકભાઈ તથા ભાનુબેન મહેતા તથા વાંકાનેરના લલીતભાઈ મહેતા (કે જેઓ આ ટ્રસ્ટના પ્રમુખ છે), ઉપપ્રમુખ અનંતરાય મહેતા (અનુકાકા), મનહરલાલ મહેતા (મંત્રી દેવદયા ચેરી. ટ્રસ્ટ) વિ. ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીરમાં સ્વ. ડો. હાકેમચંદની પ્રતિમાનું અનાવરણ કરતા મીતલબેન તથા ભૂપેનભાઈ મહેતા તથા  હાજરજનો દ્રશ્યમાન થાય છે.

(10:24 am IST)