Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સમાજના કોઈપણ કામ માટે રાજકીય અને સામાજીક આગેવાનોનું પીઠબળ અને હૂંફ મળતી રહેશે

ખોડલધામ મંદિરે નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સમાજલક્ષી ચિંતન બેઠક

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મહત્વની ચિંતન બેઠક મળી હતી. શ્રી ખોડલધામ મંદિર ખાતે મળેલી આ બેઠકમાં લેઉવા પટેલ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયને લઈને સમાજલક્ષી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી ખોડલધામ મંદિરે ચિંતન બેઠક  શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ ચિંતન બેઠકમાં સમાજના સંગઠન અને આગામી સમયમાં સમાજને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ થકી કઈ રીતે આગળ લઈ જવો સહિતના મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ હકારાત્મકતા દાખવીને સમાજના દરેક નાના-મોટા કામમાં સાથ સહકાર આપીને સમાજના ઉત્થાન માટે વધુને વધુ સારૃં કામ થાય તે માટે પ્રતિબદ્ઘતા દાખવી હતી. અને આ પ્રકારની ચિંતન બેઠક દર ત્રણ મહિને મળે તેવું નક્કી કરાયું હતું.

ચિંતન બેઠકમાં ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનોએ સમાજના સંગઠન અને સમાજ વિકાસના મુદ્દે પોતાના વિચાર રજુ કર્યા હતા. બેઠકના અધ્યક્ષશ્રી નરેશભાઈ પટેલે પણ કહ્યું હતું કે, શ્નખોડલધામની શરૂઆત થઈ ત્યારથી સમાજની ચિંતા કરવાનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે ચાલુ કર્યું છે. સમાજના નાનામાં નાના વ્યકિતને એકબીજાના સાથ અને સહમતિથી આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. સમાજના લોકોના નાના મોટા પ્રશ્નોની ચિંતા આપણે સૌએ કરવાની છે. સમાજના કોઈપણ કામ માટે રાજકીય અને સામાજિક આગેવાનોનું પીઠબળ અને હૂંફ મળતી રહે તેવી આશા રાખું છું.લૃ

શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં મળેલી આ ચિંતન બેઠકમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત અન્ય ટ્રસ્ટીશ્રીઓએ પણ હાજરી આપી હતી. આ ઉપરાંત ચિંતન બેઠકમાં જયેશભાઈ રાદડિયા, પરેશભાઈ ધાનાણી, ગોરધનભાઈ ઝડફીયા, ધનસુખભાઈ ભંડેરી, રમેશભાઈ રૂપાપરા, લાલજીભાઈ સાવલીયા, ગોવિંદભાઈ પટેલ, રાદ્યવજીભાઈ પટેલ, વિરજીભાઈ ઠુંમર, હર્ષદભાઈ રીબડીયા, લલિતભાઈ વસોયા, કિરીટભાઈ પટેલ, ભરતભાઈ બોદ્યરા, અરવિંદભાઈ રૈયાણી, અશ્વિનભાઈ મોલીયા, ડી.કે.સખીયા, પ્રતાપભાઈ દુધાત, ગોપાલભાઈ ઈટાલીયા, વલ્લભભાઈ કાકડીયા, જસુમતીબેન કોરાટ, ટપુભાઈ લિંબાસીયા, વી.પી.વૈષ્ણવ, ગોવિંદભાઈ રાણપરીયા, ગોરધનભાઈ ધામેલીયા, દિનેશભાઈ ચોવટીયા, મિતુલભાઈ દોંગા, પરેશભાઈ પીપળીયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજલક્ષી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.

(11:37 am IST)