Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સુરેન્દ્રનગરમાં ટ્રાફિક વિભાગ દ્વારા નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી ૧૭ લાખનો દંડ વસૂલ

વઢવાણ :સુરેન્દ્રનગરમાં ટ્રાફિક વિભાગ દ્વારા નિયમનો ભંગ કરીને દોડતા વાહનચાલકો સામે દંડ વસુલ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શહેરના જુદા જુદા મુખ્ય રસ્તાઓ ઉપર પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા નિયમોનુસાર દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર ટ્રાફીક પી.એસ.આઇ. સહિત સ્ટાફ કર્મીઓએ શહેરમાં માસ્ક પહેરવા બાબતે નિષ્કાળજી દાખવનાર ૭૦ જેટલા લોકો પાસેથી દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત વન ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનચાલકો કે જેઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરીને દોડતા હોય તેવા વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે. આમ સુરેન્દ્રનગર માં ટ્રાફિક વિભાગ દ્વારા એક મહિનામાં કુલ રૂપિયા ૧૭ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

(11:36 am IST)