Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મોરબીના જેતપર હાઇવે પર રીક્ષાનું ટાયર નીકળી જતા અકસ્માત : એકનું મોત

અન્ય એક મુસાફરને ઈજા પહોંચી, રીક્ષાચાલક નાસી ગયાની ફરિયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૧: મોરબીના જેતપર હાઈવે પર જતી રીક્ષાનું વ્હીલ નીકળી જતા રીક્ષામાં સવાર વૃદ્ઘનું મોત થયું હતું જયારે અન્ય એક મુસાફરને ઈજા પહોંચી છે તો અકસ્માત બાદ રીક્ષાચાલક રીક્ષા મૂકી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી મહેશભાઈ કેશુભાઈ પટેલ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રીક્ષા જીજે ૦૩ એએકસ ૭૪૪૫ ના ચાલકે રીક્ષાપુરઝડપે ચલાવી જતો હોય ત્યારે જેતપર હાઈવે પર રીક્ષાનું આગલું વ્હીલ નીકળી જતા તેના બાપુજી કેશુભાઈ નાનજીભાઈ (ઉ.વ.૬૦) રીક્ષામાંથી નીચે રોડ પર પડી જતા ગંભીર ઈજાને પગલે મોત થયું છે તો રીક્ષામાં સવાર અન્ય મુસાફર ઉમેશભાઈ બીજલભાઈ વાદ્યેલા રહે ઇન્દિરાનગર વાળાને ઈજા થઇ છે અકસ્માત બાદ રીક્ષા મૂકી ચાલક નાસી ગયો હતો તાલુકા પોલીસે રીક્ષાચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(9:55 am IST)