Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

મંત્રીએ કે ચૂંટાયેલ પ્રતિનિધી કામ ન કરે તો હવા કાઢી નાખવીઃ ગાંધીનગર જાઓ અને મંત્રી આવકાર ન આપે તો મને કહેજોઃસી.આર. પાટીલ

કાર્યકરોની તાકાતે જ તેઓ મંત્રી બન્યા છે એવું દેખાડી દેવું છે.: જામનગરમાં ભાજપનું સ્નેહમિલન સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી.આર,.પાટીલનું નિવેદન

જામનગરમાં ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જ્યાં પાટીલે ફરી મંત્રીઑને ટોણો મારતા અંદાજમાં કહ્યું હતું કે ભાજપનો કાર્યકર ગમે તે કામ લઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે મંત્રી પાસે લઈ જાય અને જો તે કામ ખરેખર વ્યવસ્થિત અને પ્રજા હિતમાં હોય અને જો મંત્રી હોંકારો આપે તો તેમની હવા કાઢી નાખવી. ગાંધીનગર જાઓ અને મંત્રી આવકાર આપે તો મને કહેજો, કાર્યકરોની તાકાતે તેઓ મંત્રી બન્યા છે એવું દેખાડી દેવું છે.

 પાટીલના સંબોધન સમયે રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા હાજર હતા. પહેલા પણ પાટીલ કાર્યકતાના કામ કાઢવા મંત્રી સાસંદ અને ધારાસભ્યોને સ્પષ્ટ સૂચના આપી ચૂક્યા છે.

(1:02 am IST)