Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

લાઠીના અકાળામાં સિંહોના ટોળા દ્વારા ર પશુનું મારણ : ૧૬ સિંહ હોવાની અટકળો

 અમરેલી, તા. ર૧ : લાઠીના અકાળા ગામના પાદરમાં સિંહોના ટોળાએ બે મારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો છે. અકાળાના લાઠી લીલીયા રોડ ઉપર આવેલ લુણસીયાપીર તથા અમરદાસબાપુના ઓટલા પાસે જ ગતરાત્રીના સિંહોના ટોળાએ એક ખુંટીયા અને વાછરડીનો શિકાર કરી મારણ આરોગ્યું હતું. અહીંથી લુવારીયા નજીક થતું હોય લુવારીયા તરફીથી સિંહો આવી ચડયા હોવાનું ગામના પૂર્વ સરપંચ શ્રી ભુપતભાઇ મેસુરીયાએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતું. જોકે કેટલાક ગામ લોકોએ સોળ સિંહોનો પરિવાર હોવાનું કહ્યું હતું અને આ સિંહોની મારણ કરતી તસ્વીરો પણ વાયરલ થઇ હતી.

(1:08 pm IST)