Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ચોટીલા બાદ

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી નજીક બાદનપુરમાં સિંહોના આટાફેરા : વાછરડીનું મારણ

ગોંડલ, તા. ૨૧ : ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી નજીકના અમરેલી જિલ્લાના જૂના બાદનપુર ગામમાં સિંહે વાછરડીનું મારણ કરતા ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ૪- ૫ દિવસ પહેલા બાદનપુર નજીકના સનાળા ગામે પણ સિંહે ગાયનું મારણ કર્યુ હતું. આ ઘટના બાદ વન વિભાગની ટીમે વાડી વિસ્તારમાં તપાસ કરતાં સિંહના ફૂટમાર્ક મળી આવ્યા હતા. ગયા વર્ષે પણ દેરડી કુંભાજી પંથકમાં સિંહે આંટાફેરા મારતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. ત્યારબાદ આ વર્ષે પણ સિંહના આગમનથી વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભય પ્રસરી ગયો છે. ચોટીલા બાદ દેરડી કુંભાજી પંથકમાં સિંહના આગમનથી ખેડૂતો ચિંતિત છે.

(1:51 pm IST)