Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જામકંડોરણા મામલતદારનો વિદાય સત્કાર સમારંભ

સ્નજામકંડોરાણા તાલુકા મધ્યાન ભોજન કર્મચારી મંડળ દ્વારા નાયબ મામલતદાર આર.એન.કંડોરીયા તથા મામલતદાર પી.એસ.ખરાડીનો વિદાય તથા સત્કાર સમારંભ તતેશ્વર મહાદેવ મંદિરે યોજાયો હતો. નાયબ મામલતદાર મધ્યાન ભોજન આર.એન.કંડોરીયાની ઉપલેટા ખાતે બદલી થતા તેમનો વિદાય સમારંભ તથા મામલતદાર પી.એસ.ખરાડીનો સત્કાર સમારંભ યોજાયો હતો આ તકે નાયબ મામલતદાર આર.એન. કંડોરીયાને જામકંડોરણા તાલુકા મધ્યાન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ સુખુભા જાડેજા પ્રમુખ વિજયભાઇ ગઢવી તેમજ સંચાલકોએ તેમની સેવાઓને બિરદાવી સન્માન સાથે વિદાય આપી હતી તેમજ નવા હાજર થયેલા મામલતદારશ્રી પી.એસ.ખરાડીને સન્માન સાથે સત્કારવામા આવેલ હતા આ તકે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, મામલતદાર કચેરી સ્ટાફ તેમજ તાલુકાના મ.ભ.યો.ના સંચાલકો કર્મચારીઓએ હાજરી આપી હતી. તે પ્રસંગની તસ્વીર

(11:47 am IST)