Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મોરબી લખધીરસિંહ એન્જીનીયરીંગ કોલેજના બિલ્ડીંગને હેરીટેઝમાં સમાવવા માંગણી

મોરબી,તા.૨૧: લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેનું રીપેરીંગ કરીને કોલેજ બિલ્ડીંગને હેરીટેઝમાં સમાવેશ કરાય તેવી માંગ સાથે લેખિત આવેદન આપવામાં આવ્યું છે

મોરબીના યુવાનો મેહુલભાઈ ગાંભવા, રવિભાઈ દેસાઈ, યોગેશભાઈ પટેલ અને વિજયસિંહ ઝાલા સહિતના દ્વારા જીલ્લા કલેકટર મારફત પુરાતત્વ વિભાગ ગાંધીનગરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે મોરબીમાં લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજની ૧૯૩૧ માં સ્થાપના કરવામાં આવી છે મોરબીના મહારાજા દ્વારા બનાવેલ આ બિલ્ડીંગ પ્રાચીન હોય જે ભૂકંપ બાદ જર્જરિત હાલતમાં જોવા મળે છે અને બિલ્ડીંગને તોડી પાડવાની વાતો વચ્ચે તેને તોડી પાડવાને બદલે સમારકામ કરવાની માંગ ઉઠી રહી છે જેથી આ કોલેજના જુના બિલ્ડીંને યોગ્ય રીપેરીંગ કરવાથી પ્રાચીન વારસો જળવાઈ રહેશે તેમજ આ બિલ્ડીંગને હેરીટેઝમાં પણ સમાવેશ કરવામાં આવે જેથી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી કરી સકાય આમ બિલ્ડીંગ રીપેર કરવા તેમજ હેરીટેઝમાં સમાવવા માટેની માંગ કરી છે.

(11:33 am IST)